અ.ન. | યોજના નું નામ | દિકરી યોજના |
---|---|---|
૧. | યોજના કયારે શરૂ થઇ | ૧૨-૧૯૮૭ થી આ યોજના સરકારશ્રી તરફથી દાખલ કરવામાં આવેલ છે. |
૨. | યોજનાનો હેતુ | સમાજમાં જે દંપતીને એક પણ દિકરો ન હોય અને એક યા બે દિકરી બાદ સ્ત્રી યા પુરુષ વંધ્યીકરણ ઓપરેશન અપનાવે એવા દિકરાની ઝંખના ન કરતા મા-બાપને પ્રોત્સાહિત કરવા આ યોજના વસ્તી પ્રમાણ નિયંત્રણમાં રાખવા તથા દિકરીએ પણ દિકરા બરાબરછે. તેમ પ્રસિધ્ધિ માટેના સરકારશ્રીનો અભિગમ-હેતુ છે. |
૩. | યોજના વિશે (માહિતી) | ઉપર મુજબની વિગતે સમાજમના કોઇપણ વર્ગના લાયક દંપતિને કે જે દંપતિની પુરુષ અથવા સ્ત્રી ઓપરેશનની તારીખે માતાની ઉંમર ૩૫ વર્ષની અંદર અને છેલ્લી જીવીત બાળકીની ઉંમર ૧ વર્ષથી વધુ હોય તેવા દંપતિઓને દિકરાની લાલચમાં વધુ બાળકોને જન્મ ન આપી વધ્યીકરણ ઓપરેશન અપનાવે તે બાબતે પુરસ્કાર રૂપે છ વર્ષિય રાષ્ટ્રીય બચત પત્રો પ્રોત્સાહન રૂપે આપવા યોજના અમલમાં મુકેલ છે. |
૪. | યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. | આ યોજનાનો લાભ જે દંપતિ ૩૫ વર્ષની વય મર્યાદાની અવધીમાં એક કે બે દિકરી બાદ સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન અપનાવે તેવા તમામ સંવર્ગના દંપત્તિઓને પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવે છે. આ માટે લાયક દંપતિએ સાધનિક કાગળો સહિત સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીનો સંપર્ક કરવાનો રહે છે. આગળની કાર્યવાહી મેડીકલ ઓફિસરશ્રી મારફત કરવામાં આવે છે. |
૫. | યોજનાના લાભાર્થી માટે લાયકાત | ઉપર જણાવ્યા મુજબ. તમામ વર્ગ/સંવર્ગના લાયક દંપતિઓને લાભ આપી શકાય છે. |
ક્રમ | શાખાનું નામ | યોજનાનું નામ શાખા દ્વારા અમલીકરણ કરવામાં આવતી કુલ યોજનાઓ | નાણાંકીય પ્રગતિ (રૂ. લાખમાં) | ભૌતિક પ્રગતિ | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
નાણાંકીય જોગવાઇ | મળેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | ગ્રાન્ટ સામે ટકાવારી | ભૌતિક લક્ષ્યાંક | કુલ સિધ્ધિ | કુલ સિધ્ધિ સામે ટકાવારી | |||
૧ | આરોગ્ય શાખા | દિકરી યોજન | ૧.૨૯ | ૧.૨૯ | ૦.૪૭ | ૩૬.૪૩ | ભૌતિક લક્ષ્યાંક હોતો નથી. | ૯ |
શાળા આરોગ્ય
ચિરંજીવી યોજના
બાળ સખા યોજના
મમતા અભિયાન
મમતા દિવસના લાભાર્થીઃ સગર્ભા માતા, ધાત્રી માતા,૫ાંચ વર્ષથી નાનાં બાળકો, તરૂણીઓ
આર.એસ.બી.વાય.
ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા બી.૫ી.એલ. (ગરીબી રેખા હેઠળના) ૫રિવારો માટે પ્રસ્તુત કરવામાં આવેલી એક યોજના છે.બી.૫ી.એલ. કુટુંબના ૫રિવારના ૫ સભ્યો ૫રિવારની મુખ્ય વ્યકિત જીવનસાથી ૩ આશ્રીતો વીમો એ જ વ્યકિતનો કરાશે જેનું નામ સરકાર ઘ્વારા જારી ગરીબી રેખાની રહેનારાઓની યાદીમાં હોય.
આ એક હોસ્૫િટલાઈઝેશન બેનીફીટ ૫ોલીસી છે જે હોસ્૫િટલમાં ર૪ કલાક રહેવાની જરૂર ૫ડે એવી કોઈ૫ણ બીમારી માટે થનાર હોસ્૫િટલના ખર્ચાઓને આવરી લે છે.
મુખ્યમંત્રી અમૃતમ (મા)
રાજ્ય સરકાર ધ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગંભીર બિમારીઓની મફત તબીબી સારવાર આપવા વર્ષ-૨૦૧૨-૧૩માં “ મુખ્યમંત્રી અમૃતમ (મા) ” અમલમા મુકેલ છે.
આ યોજના રાજયનાં તમામ ૨૬ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીને લાભાન્વિત કરશે.
આ યોજના હેઠળ ગંભીર બિમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ ) સુધીની મફત (કેશલેસ) સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (પાંચ વ્યકિત) ને લાભ આપવામાં આવશે.
નવ જાત શિશુને કુટુંબના છઠા સભ્ય તરીકે જન્મથી ત્રણ વર્ષ સુધી લાભ આપવામા આવશે.
મા યોજના હેઠળના કુલ ૪૦૬૭૩/- બી.પી.એલ. કુટુંબો પૈકી ૩૨,૩૦૧/- લાખ કાર્ડ તૈયાર થઇ ગયેલ છે.
આ યોજનાના અમલથી રાજયના ગરીબી રેખા હેઠળના હજારો બી.પી.એલ. કુટુંબોને
આમ કુલ-૪૮૦ જેટલા પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર મેળવી શકશે.
જનની સુરક્ષા યોજના
ગરીબી રેખા હેઠળના તમામ કુટુંબની સગર્ભા મહિલાઓને લાભ.
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના તમામ સગર્ભા બહેનોને પણ લાભ.
લાભાર્થીની ઉંમર, હયાત બાળકોની સંખ્યા કે પ્રસુતિનું સ્થળ ઘ્યાને લીધા સિવાય આ યોજનાનો લાભ.
લાભાર્થીને રૂા.પ૦૦/- પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતાં દવા, તેમજ અન્ય ખર્ચ માટે પ્રસુતિ પહેલાના ત્રણ મહિનાના સમયગાળામાં ચેકથી ચૂકવવામાં આવે છે.
પ્રસુતિ સરકારી કે ખાનગી દવાખાનામાં કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સામાં ગ્રામ્ય મહિલાઓ માટે રૂા.ર૦૦/- અને શહેરી મહિલાઓ માટે રૂા.૧૦૦/- દવાખાને જવાના વાહન ખર્ચ પેટે ચૂકવવામાં આવે છે.
જનની સુરક્ષા યોજના અંતર્ગત સગર્ભા માતાઓને પ્રસુતી પહેલા રૂા. ૭૦૦ /-ની સહાય
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
તમામ સરકારી દવાખાનાઓમાં સગભા માતાઓને પૂર્વક પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતિસેવાઓ અને પ્રસૂતિબાદની સેવાઓ મળે છે.
એક વર્ષઙ્ગ સુધીના બાળકની મફત તપાસ થાય છે અને સારવાર આપવામાં આવે છે. જેમાં દવાઓ અને સર્જીકલ સામગ્રી, લોહીની તપાસ, સોનોગ્રાફી, ખોરાક, એમ્બ્યુલન્સ સેવા મળવાપાત્ર છે.
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજનાની માહિતી
કસ્તુરબા પોષણ સહાય યોજનાની માહિતી
કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનની માહિતી
માસિક ઋતુચક્ર આરોગ્ય કાર્યક્રમની માહિતી
મુખ્યમંત્રી અમૃતમ યોજના- મા વાત્સલ્ય યોજનાની માહિતી